Tip:
Highlight text to annotate it
X
ઓશો ઈન્ટરનેશનલ ફોઉંન્દેશન પ્રસ્તુત કરે છે
પ્રેમ માં રેહવું અને ખજાના વહેચવા
હું તમને શીખવું છું
સ્વાર્થી બનવાનું.
મને ફરી કેહવા દો, કારણ કે આ શબ્દ
"સ્વાર્થીપણું"
એટલો બધો બદનામ કરાવાયો છે
કે એવી પૂરી શક્યતા છે
તમે મને ખોટો સમજો.
પણ
આ શબ્દ
ખરેખર સુંદર છે.
સ્વાર્થી બનવા નો સરળ અર્થ એ છે
કે "સ્વ" માં (પોતાના માં) કેન્દ્રિત થવું.
હું તમને કહું છું:
આ દુનિયામાં બીજા કોઈને ના સ્વીકારશો,
ફક્ત પોતાની જાત નો સ્વીકાર કરો;
અને તે સ્વીકારમાં
તમે આખા જગત નો સ્વીકાર કર્યો હશે,
સ્વાર્થી બનાવામાં
તમે જોશો કે
જે બધી પરોપકાર વૃત્તિઓની
તમે શોધ ખોળ કરી રહ્યા છો
અને નથી મળી રહી,
કારણ કે
એ આખી વસ્તુ જ
ઉલટી હતી
તમને કેહવાયું છે કે
તમારા પાડોશી ને પ્રેમ કરો -
પરંતુ તમે પોતાની જાત ને ક્યારેય પ્રેમ નથી કર્યો.
અને વ્યક્તિ એ
પોતાને પ્રેમ ના કર્યો હોય,
એ કેવી રીતે પાડોશી ને પ્રેમ કરી શકે?
કઈ જગ્યા એથી
મેળવશે એ
પ્રેમ?
પેહલા તમારી પાસે તે
હોવો જોઈએ.
તમે પાડોશીને પ્રેમ કરી રહ્યા છો -
તમે કે જેઓ પ્રેમ વિષે કઈ જાણતા નથી
કારણ કે તમે પોતાને કદી પ્રેમ કર્યો જ નથી.
પાડોશી તમને પ્રેમ કરી રહ્યો છે -
તેણે ક્યારેય પોતાની જાતને પ્રેમ કર્યો નથી.
આવું ગાંડપણ આ જગત માં થઇ રહ્યું છે:
લોકો એકબીજાને પ્રેમ કરી રહ્યા છે જેઓ પ્રેમ વિષે કંઈજ જાણતા નથી.
આ તો જાણે કે ભીખારીઓ
એકબીજા પાસે ભીખ માંગી રહ્યા હોય,
એમ વિચારીને
કે જાણે બીજો તો સમ્રાટ છે.
બંને સરખું જ વિચારી રહ્યા છે:
સામેવાળો સમ્રાટ છે.
બંને ભીખારીઓ છે.
મોડી વેહલી
હકીકત
જાતે જ વ્યક્ત થાય છે;
પછી એનાથી
ઉગ્ર પીડા,
યાતના થાય છે.
પછી તમે વિચારો છો તમે છેતરાઈ ગયા,
આ ભિખારી
પોતાને સમ્રાટ સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.
હવે આ તો સંપૂર્ણ રીતે અર્થહીન છે -
તમે એમ વિચારતા હતા કે તે
એક સમ્રાટ છે.
એવી જ સ્થિતિ સામેની બાજુએ પણ છે:
પેલો બીજો માણસ વિચારે છે તમે
તેને છેતરી રહ્યા છો,
પોતે સમ્રાટ હોય એવી ધારણા સાથે
અને તમે માત્ર એક ભિખારી છો
જયારે બંને ભીખારીઓને ખબર પડે
કે તેઓ ભીખારીઓ છે,
તેઓ બીજું શું કરી શકે
એના સિવાય
કે ગુસ્સે થાય,
વધારે,
હિંસાત્મક બને એકબીજા સાથે
નફરત
કરે એકબીજાને જેટલી વધુ ઊંડે થી થાય એટલી.
અને પ્રેમ...?
એતો કંઇજ નહોતું;
તેઓ નથી જાણતા પ્રેમ શું છે.
કંઇક જાણવા માટે
તમારે શરૂઆત તમારાથી કરવી પડે.
તમને કેહવામાં આવ્યું છે
તમારી જાત નું બલિદાન આપવું
કોઈ
મૂર્ખાઈભર્યા આદર્શ માટે.
હું ઈચ્છું છું તમે
ફક્ત સ્વાર્થી બનો.
અને તમે નવાઈ પામશો
કે જો તમે સ્વાર્થી છો
તમે ઘણાબધા
ખજાના તમારી અંદર શોધ્યા
કે જલ્દી તમે શરુ કરો
તેને વહેચવાનું -
કેમ કે ખજાનો શોધવાનો આનંદ ઓછો છે
તેને વહેચવા કરતા.
અને જે ખજાના તમારી અંદર છે
તેઓ સામાન્ય અર્થશાસ્ત્ર ને અને
તેના નિયમો ને નથી અનુસરતા.
તેઓ એકદમ
વિરુદ્ધ છે,
પૂર્ણતા: વિરુદ્ધ
સામાન્ય અર્થશાસ્ત્રના
માળખાની સામે.
સામાન્ય અર્થશાસ્ત્રમાં
જો તમે કંઈક આપો,
તો તમારી પાસે ઓછું રેહશે.
જો તમે આપવાનું ચાલુ જ રાખો,
તો જલ્દી તમે ભિખારી થઇ જશો.
સામાન્ય અર્થ શાસ્ત્રની દુનિયામાં
તમારે ખૂંચવી લેવું પડે જેટલું બને
તેટલું લોકો પાસેથી
તો તમને મળશે
વધારે
અને વધારે અને વધારે.
જે ખજાનો વિષે હું તમને વાત કરી રહ્યો છું,
તે અનુસરે
એક અલગ નિયમ ને:
જો તમે તેને વળગી રહો
તે ઘટે છે,
જો તમે વધારે પડતા વળગી રહો
તમે એમનો નાશ પણ કરી શકો છો.
જો તમારે
તમારે તેમનો નાશ કરવો હોય
તો બધા દરવાજા અને બારીઓ બંધ કરી દો,
ગંભીર બનો
જેથી કશું છટકી ના શકે
તમારી બહાર -
પણ તમે એક મૃત વ્યક્તિ હશો,
તમારા બધા ખજાના પણ તમારી સાથે જશે,
તમારું સત્ય, તમારી સ્વતંત્રતા,
તમારો પ્રેમ, તમારો આનંદ.
બધું જ તમારી સાથે મૃત થઇ જશે -
સુરક્ષિત રીતે મૃત,
બિલકુલ વીમા સાથે.
પણ જો તમે
તમારો ખજાનો વધારવા ઈચ્છાતા હો,
તેને વહેંચો,
વહેંચો બધા અને દરેક ની સાથે -
ચિંતા ના કરો
કે આ એક મિત્ર છે કે એક દુશ્મન.
જયારે તમે વહેંચી રહ્યા હો
પ્રશ્ન વહેંચવાનો છે,
તે એ નથી કે કોની સાથે.
એ કોઈની પણ સાથે સંબંધિત હોય,
તમે ફક્ત આપો.
સરનામાની ફિકર ના કરો,
તમે બસ પ્રેમ પત્રો મોકલતા જ જાઓ.
કોઈક ક્યાંક ને ક્યાંક તેમને જરૂર સ્વીકારશે.
અને
જેટલું વધારે તમે વહેંચતા જશો,
તેટલું જ વધારે
આવશે
તમારી અંદર કોઈ અજ્ઞાત સ્થાને થી.
વ્યક્તિ તો એક કુવા જેવો છે....
સ્ત્રોત: 'અંધકાર થી પ્રકાશ તરફ'
વધુ માહિતી માટે, જુઓ www.osho.com